Pages

Saturday, 8 December 2012

શા માટે ધીક્કારાય છે બ્રહ્મસમાજ ???

નાત-જાત અને ધર્મ ના વાડા થી કલુષિત સમાજ માં પોતાની જાત યાદ આવે છે માત્ર ને માત્ર રાજકીય ક્ષેત્રે........લગ્ન જીવન ને એક સમય હતો સમાજ જ્ઞાતિ ને પ્રાધાન્ય આપતો, પરંતુ સમય જતો ગયો શહેરી જીવન માં આ ભેદ ભૂલાતો ગયો........
પ્રેમ લગ્નો ને સમાજ સ્વીકારતો થયો .....પહેલી દ્રષ્ટિ એ લાગ્યું કે ચાલો હવે સમાજ એક રાગતા થી સમાજ જીવન ને નવપલ્લવિત કરશે......પરંતુ રાજકીય ક્ષેત્રે આ ભેદભાવ દિન પ્રતિદિન ચરમ સીમા એ પહોંચ્યો......
અને માત્ર જ્ઞાતિ ના વાડા, ધર્મ ના ભેદ નું મહત્વ વધતું રહ્યું........
કોઈ પણ જ્ઞાતિ ને જે સમાજ ની કોઈ પણ ભોગે અનિવાર્યતા છે તે બ્રહ્મ સમાજ તેની ચાતુર્યતા થી પર જઈ બધાને પોતાના સમજતો રહ્યો.........
ભગવાન પરશુરામ કે ભગવાન શંકર અને ભગવાન હાટકેશ થી લઇ બ્રહ્મ સમાજ ની અનેક વાતો ધર્મ ના નામે થઇ શકે.....પરંતુ અહીં પણ રાજકીય વાત જ છે........
શા માટે બ્રહ્મસમાજ ની એકતા દેખાતી નથી ? એવું તે શું છે કે ક્ષત્રિય-પટેલ-વાણીયા કે અનેક કોમો ચુંટણી આવે છે ત્યારે પોતાના મતો ની ગણતરી થી આ વિસ્તાર માં અમારી બહુમતી છે અમારો વિજય સુનિશ્ચિત છે ની વાતો કરતો સંભળાય છે પરંતુ હકીકતે બ્રહ્મ સમાજ ની બહુમતી હોય તો પણ તેની અવગણના થાય છે કારણ આપણે જ હસતે મોઢે સ્વીકારી લઈએ છીએ.....શા માટે ?
બહુ સ્પષ્ટ રીતે જોવા જઈએ તો ૬૭%થી વધુ મતવિસ્તારો માં બ્રહ્મ સમાજ ના મતો ઉપર જ હાર-જીત નક્કી થાય છે.....અને કેટલાક કોઈ પણ કારણ વગર એ તો આપણા જ છે ક્યા જવાના છે ની વાતો કરી ચુંટણી લડે છે અને જીતે પણ છે.......અને પછી તે સમાજ પિંડદાન સમયે આપણા ને યાદ કરે છે.......અર્થાત જીવતા જીવ તો નહિ જ........કારણ બહુ સરળ છે........આપણે એકત્ર હોવા છતા આપણો અવાજ બુલંદ બનાવી શકવા સમર્થ નથી..........
સમાજ માં થી ધર્મ અને જ્ઞાતિ ના વાડા દૂર થાય તે માટે સતત જાગૃત આપણો સમાજ ધીક્કારાતો રહે છે....
કોઈ પણ પક્ષ બ્રહ્મ સમાજ ને ૫% થી વધુ બેઠકો આપતો નથી અને આપણે પણ પાછા કોઈક થી અંજાઈ જઈ આપણા જ્ઞાતિ ના ઉમેદવાર ને પરાજિત થાય તેવી રીતે મતદાન કરતા અચકાતા નથી.....
શું આપણે જ આપણા સમાજ ના ભાવી ને ધૂંધળું બનાવવા ઉત્સુક બન્યા છીએ......
શું કાળ ક્રમે આપણે ઉન્નતી કરતા અધોગતિ તરફ આગળ વધવાનું નક્કી કરી ચુક્યા છીએ.....
શું આપણે મુક પ્રેક્ષક બની રહીશું ?
ગુજરાત કે સૌરાષ્ટ્ર ના રાજકીય ઇતિહાસ ને તાપાસસો તો નેતૃત્વ માત્ર બ્રહ્મ સમાજ નું હતું અને આજે ૦.૦૧% વસ્તી પણ ન ધરાવનાર ની સત્તા.......
તમે જ્યાં હોવ.....જે વિચારધારા માં વિશ્વાસ કરતા હોવ.....કોઈના આંધળા પ્રેમ માં હોવ.....તો પણ સમય આવ્યો છે....................આપણે આપણા ના બની રહીએ અને આપણી આવતીકાલ ઉજળી બનાવવા બ્રહ્મ સમાજ ના ઉમેદવાર ને વિજયી બનાવવા કટીબદ્ધ બનીએ.....
અપેક્ષા અસ્થાને નથી........તમે અને હું સમજશું તો સંસ્કારો અને સંસ્કૃતિ નું જતન થશે......

No comments:

Post a Comment