હું સત્તા ભૂખ્યો.......
સત્તા માટે હું બધું જ કરી શકું......
સત્તા મેળવવા મેં ગુજરાત ની જનતા ને કોમવાદી રંગ આપ્યો.......
કોઈક બળ્યા.....કોઈક કપાયા.....કોઈક જેલ માં ગયા.....કેટલાય પરિવારો બરબાદ થયા......મારે શું ?
મને તો સત્તાં મળી.......
સત્તા મળતા જ મેં મારા સાથીઓ ને પણ પરિચય આપ્યો.......કોઈક ની હત્યા....કોઈક ને ઘર ભેગા.....કોઈક ને જેલમાં ......ધર્માંધ ને સમજ આપવા મારી હત્યા ના નામે ઘણા ને ગોળી એ દીધા, અને મારું આવું કામ કરનાર ને જેલ હવાલે કર્યા.......સાથીઓ ને ભૂલ્યો....જનતા ને ભૂલ્યો.......ઉદ્યોગપતિઓ ને મિત્રો બનાવ્યા.....અને કરોડો ભેગા કર્યા.......હું કોણ ? હું સરમુખત્યાર હત્યારો અને શ્રેષ્ઠ ભ્રષ્ટાચારી બન્યો.......
હવે મારા પક્ષ વાળા પણ મારા થી ડરતા હતા........
મને સપનું આવ્યું "હું વડાપ્રધાન હોવ તો"........અને મેં કાચીડા ની જેમ કલર બદલવા નું શરુ કર્યું.........
"સદભાવના" ના નામે હું બધા નો બનવા નીકળ્યો.........
મને કોઈકે ચેતવ્યો........અને પાછો હું એક ચોક્કસ કોમ ને ધિક્કારવા નું નાટક શરુ કરવા તત્પર બન્યો.......અને મેં સાફા પહેર્યા....પાઘડી પહેરી પણ ટોપી ન પહેરી......
મારી કહેવાતી સદભાવના ખુલ્લી પડી ગઈ........પરિસ્થિતિ વણસતી જતી હતી....."ન ઘરનો ન ઘાટનો" જેવી પરિસ્થિતિ નું નિર્માણ થતું જતું હતું........મને કોઈક હિન્દુ સમ્રાટ કહેતું હતું....પણ હવે હિન્દુત્વ ઘસાતું હતું.....મારે મત જોઈતા હતા......પણ મત કોણ આપશે ?
બહુમતી સમાજ મને ઓળખી ગયો હતો........લઘુમતી માં મારા નાટકો ચાલતા ન હતા.......દલિતો ને ગોળી એ દીધા.....આદિવાસી ઓ પાસે મારા ખોટા વચનીયા ભાષણો નો પરપોટો ફૂટી ગયો હતો.......અને જે સમાજ માં મને ભરોશો હતો તેને કેશુબાપા લઇ જતા હતા.........શું કરું ?
વડાપ્રધાન ના સપના એ તો રાષ્ટ્રીય સ્તરે મારા રાજકીય દુશ્મનો વધ્યા.....સાથી પક્ષો નો સહારો તૂટ્યો......અને હું દોડ્યો..........નાગપુર........માતૃસંસ્થા ના આગેવાનો ના પગ ના તળિયા ચાટ્યા તો ત્યાં પણ ઠપકો જ મળ્યો.......મેં કોંગ્રેસ ને બતાવવા લઘુમતી ને પક્ષ માં લીધા.......અને મારા હતા તે પણ મારા ન રહ્યા.......હિન્દુ પ્રતિક ભુશાયું......મત મેળવવા જતા બધું ગુમાવ્યું.......
મને બધા પૂછે છે કે શું નરેન્દ્રભાઈ હવે આપણે હિન્દુત્વ ભૂલી જવાનું ? તમે તો ભૂલી શકો પણ અમારું શું ?
મને જવાબ મળતો નથી......એક ને મૂર્ખ બનાવવા જતા બીજો નારાજ થાય.......શું કરું ???
ગત નવરાત્ર માં તો મેં માં અંબા ની આરાધના માં ઉપવાસ કરેલ અને એટલે તો ભાજપા ની રાષ્ટ્રીય કારોબારી માં જઈ શક્યો ન હતો.......આ વખતે તો ભૂલી જ ગયો કે નવરાત્ર માં મારે ઉપવાસ કરવાના છે......
હવે સમજાયું.......મૂર્ખ બનાવવા....કે.....મૂર્ખ સમજવા ની કામગીરી બહુ ચાલતી નથી.......
સાથીઓ ન રહ્યા......કાર્યકરો ન રહ્યા.....મતદારો ન રહ્યા.....નીતિ બદલાઈ, વિચાર બદલાયા પણ મારું ખમીર ન રહ્યું............કુંવારો હતો અને વિધુર બન્યો........સમજી વિચારી ને કરેલ કૃત્યો ની માફી પણ મળતી નથી.......હવે........મતદારો મને જાકારો આપશે અને સાબરમતી સેન્ટ્રલ જેલ મારું સ્વાગત કરશે.........પણ મારે તો ત્યાં પણ સલામતી જોશે કારણ જેલ માં પણ મોટા ભાગના ને તો મેં જ મારી ગધ્ધારી કરી મોકલ્યા છે............હવે તો ઈશ્વર કે અલ્લાહ પણ મને નહિ સાંભળે ......શું કરું. ?
No comments:
Post a Comment