Pages

Tuesday, 9 October 2012

કજરી-મોદી ભાઈ ભાઈ......

કોઈ પુરાવા નહિ........
વાત માં કોઈ તથ્ય નહિ......
માત્ર વ્યક્તિગત પ્રસિદ્ધિ જ મક્ષદ......
અવાર નવાર પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડિયા દ્વારા પોતાની પ્રસિદ્ધિ અને બીજાની માનહાની.......
અરવિંદ કજરીવાલ એક નામ......જેનો સાથ આપવા અન્ના હઝારે તૈયાર નહિ.....
જે પોતે લાયઝન નાં નામે ગુજરાત નાં એક ઉદ્યોગપતિ પાસે થી માસિક ૭.૫ લાખ રૂપિયા મેળવી અમદાવાદ અને ગાંધીનગર નાં વીજ વપરાશકારો ને અન્યાય કરી રહ્યા છે.
શું તેમના આક્ષેપો માં વજૂદ છે ? જો વજૂદ છે તો ફરિયાદ કેમ નથી કરતા.....શું અદાલતો નાં ન્યાય તેમને પસંદ નથી ? હરિયાણા સરકાર-દિલ્હી સરકાર સામે આક્ષેપો કરી રોબર્ટ વાડ્રા અને DLF ને આક્ષેપો દ્વારા બદનામ કરવા નીકળ્યા છે તેની પાસે પુરાવા છે તો શા માટે કાનૂની કાર્યવાહી નથી કરતા......કજરીવાલ એક મહત્વકાંક્ષી વ્યક્તિ છે અને તેની મહત્વકાંક્ષા ને કોઈ મર્યાદા નથી...ખોટી માહિતી નાં આધારે જુઠ્ઠાણા ફેલાવવા તત્પર આ કજરી ને ગુજરાત દેખાતું નથી. તેને માત્ર કોંગ્રેસ ને કલંકિત કરી આગામી ચુંટણી માં પરાજય આપવા નો કોન્ટ્રાક્ટ મળેલ છે. આ એક નિમ્ન કક્ષાનો રાજપુરુષ થવા નીકળેલ ધુતારો છે. અન્ના નાં આંદોલન માં એકત્ર કરેલ નાણાં નો હિસાબ જનતા સમક્ષ મૂકી ન શકનાર કજરી પોતે એક દલાલ-જુઠ્ઠો અને ભ્રષ્ટ માણસ છે....ગુજરાત નાં મુખ્યમંત્રી ની નાણાકીય સહાય થી તે કોંગ્રેસ ને અને ભાજપા ને કલંકિત કરવા અને બ્લેકમેઈલ કરવા નીકળેલ છે......અવાર નવાર ગુજરાત નાં મુખ્યમંત્રી સાથે વિદેશ પ્રવાસ માં જોડાતા એ ઉદ્યોગપતિ જ તો કજરી ને માસિક હપ્તો આપે છે. મોદી ભાજપા ને બ્લેકમેઈલ કરી પોતાનું સ્થાન પક્ષ માં મજબુત બનાવવા ઉપયોગ કરી રહ્યા છે....પ્રશાંત તો ગુજરાત ની વકીલાત કરી જ ચુક્યા છે... એક સોચી સમજી સાજીઝ એટલે જ કજરી ની પ્રવૃત્તિ.....
કજરી હવે મીડિયા સામે આવી જુઠ્ઠાણા ફેલાવવાને બદલે કાનૂની કાર્યવાહી કરે તે આવશ્યક છે અન્યથા કજરી સામે ગુજરાતભરમાં તમામ અદાલતો માં એક જ દિવસે કોંગ્રેસ પક્ષ ને કલંકિત કરવા નાં કેસ દાખલ કરી કજરી સામે નાં અઆધારભૂત પુરાવા ઓ સાથે ફોજદારી ગુન્હો પણ દાખલ કરવાની ફરજ પડશે.
આવા દંભી-જુઠ્ઠા-ધુતારા ઓ ને ભાડા નાં રાજકીય માફિયા બનાવી વિકાસ નાં આડે રોડા નાખવાના પ્રયાસ સાંખી નહિ લેવાય.......

No comments:

Post a Comment